GUJARAT

જંબુસર તાલુકાનું કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની અમાસ નિમિત્તે મહાદેવજીના દર્શનાર્થે શિવભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો

જંબુસર તાલુકાનું કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની અમાસ નિમિત્તે મહાદેવજીના દર્શનાર્થે શિવભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યું
પવિત્ર શ્રાવણ માસ ની અંદર શિવજીની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે પુરા માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા ઉપવાસ કરી શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોમ હવન વિશેષ પૂજા અર્ચના તેમજ દાન દક્ષિણા કરતા હોય છે
જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર નું અનેરૂ મહત્વ છે મહીસાગર નદીનું દરિયા કિનારે સંગમ થાય છે ત્યાં વેદકાળનું પ્રાચીન શિવલિંગ આવેલું છે પવિત્ર ગ્રંથસ્કન્ધ પુરાણ પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કળિયુગમાં તેનો વિશેષ મહિમા છે દક્ષિણ ગુજરાતનું સોમનાથ પણ તેને કહેવામાં આવે છે
અહીં પ્રસ્થાપિત શિવલિંગ દરિયાની ભરતી ના સમયે દરિયાદેવ તેમને અભિષેક કરે છે અને દરિયાના પાણીમાં તે અદ્રશ્ય રહે છે સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજના અથાગ પ્રયત્નોથી દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળ તરીકે વિકસિત પામ્યું છે
શ્રાવણ માસ દરમિયાન ગુજરાત તેમજ સમગ્ર દેશમાંથી શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી પહોંચે છે મહાદેવજી ની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવ કરે છે મંદિરની યજ્ઞ શાળામાં વડોદરા સુરત અમદાવાદ ના યજમાનો દ્વારા વૈદિક ઉચ્ચારણ કરી વિદ્વાન પંડિતો દ્વારા હોમ હવન કરવામાં આવે છે
દર્શને આવતા ભક્તોને ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવે છે સ્થાનિક લોકો દ્વારા નિસ્વાર્થ સેવા કરી લોકોને ભોજન તેમજ કોઈપણ જાતની અગવ ન પડે તે માટે વ્યવસ્થા માં જોતરાય છે શ્રાવણ મહિના ના છેલ્લા દિવસે હજારોની સંખ્યામાં શિવ ભક્તો આવતા હોય ટ્રાફિકની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button