BANASKANTHAGUJARATPALANPUR
અમીરગઢ તાલુકાની ગવરા પ્રા. શાળા માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

10 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગવરાપ્રા.શાળા તા.અમીરગઢમાં શિક્ષકદિનની ઉજવણી અંતર્ગત આજના દિવસનું શાળાનું તમામ સંચાલન બાળકો દ્વારા થયું. પ્રાર્થના કાર્યક્રમમાં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનને યાદ કરીને શુભ શરૂઆત કરવામાં આવી. કુલ 41 બાળકોએ હોશભેર ભાગ લીધો.અને બાળકો દ્વારા વર્ગોનું સંચાલન થયું.પછી બપોરના સમયમાં ગવરા શાળા પરિવાર દ્વારા પૌઆ ના નાસ્તા નું સુંદર આયોજન કરવામાં આવેલુ. ત્યાર બાદ ફરીથી રિસેસ બાદ બાળકો દ્વારા શિક્ષણકાર્ય શરૂ કરાયું.શાળા ના એક દિવસ ના આચાર્ય ધ્રાંગી ટીનાબેન અને ઉપાચાર્ય રબારી નાગજીભાઈ એ ફરજ બજાવી હતી.બીજા દિવસની પ્રાર્થના સભામાં શિક્ષક બનેલ બાળકોએ તથા શાળામાં ભણતા બાળકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા.આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
[wptube id="1252022"]





