BANASKANTHAGUJARATPALANPUR

યોગાંજલી કેળવણી મંડળ દ્વારા ગણેશપુરા પ્રાથમિક શાળામાં બેગ અને પાણીના જગનું વિતરણ કરવામાં આવ્યું

30 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

યોગાંજલી કેળવણી મંડળ, સિદ્ધપુર દ્વારા આજરોજ ગણેશપુરા પ્રાથમિક શાળા, ઞણેશપુરા – સિદ્ધપુર શાળા અને વિદ્યાર્થીઓને સરકારશ્રીના બેગલેસ શિક્ષણ વિષયને સાર્થક કરવા કુલ ૪૩૦ વર્ગખંડ બેગ અને દરેક વર્ગ ખંડ માટે પાણીના ૨૦ લિટરના જગ એમ કુલ ૧૩ જગ વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે યોગાંજલી કેળવણી મંડળના સેક્રેટરી સુશ્રી જીજ્ઞાબેન દવે, સંસ્થાના ટ્રસ્ટીશ્રી કુ. કૈલાસબેન પટેલ, યોગાંજલી વિદ્યાવિહારના આચાર્યશ્રી અશોકભાઈ શર્મા અને ગામના વડીલ મુરબ્બીશ્રી કેશુભાઈ પટેલ ની ખાસ ઉપસ્થિતિમાં આ ભેટ બાળકોને સુપરત કરવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું શાળાના આચાર્ય બહેન શ્રીમતી રશ્મિકાબહેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું શાળા પરિવાર થકી મોમેન્ટ, સોલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button