BANASKANTHAGUJARATPALANPURUncategorized

પાલનપુર તાલુકાની શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં શિક્ષક અને વાલી વચ્ચે પરિસંવાદ યોજાયો

28 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાની માલણ હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓમાં મૂલ્યશિક્ષણનું સંવર્ધન થાય, શાળામાં શિસ્ત અને અનુશાસન જળવાય તેમજ, વાલીઓ પોતાના સંતાનની શૈક્ષણિક સિદ્ધથી અવગત થાય એવા બહુઆયામી હેતુસર વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ખૂબ બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહયા હતા, જેમાં વાલી માતાઓની ઉપસ્થિત આ મિટિંગની ફળશ્રુતિ કહી શકાય.શાળાના શિક્ષક શ્રી રણજીતસિંગ પાલરેએ વાલીઓને આવકાર્યા હતા અને શિક્ષકોનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ શાળાના આચાર્ય ડો. રાજેશ પ્રજાપતિએ તમામ વાલીઓને સંબોધ્યા હતા.પોતાના વક્તવ્ય થકી વાલીઓની બાળકો અને શાળા પ્રત્યેની એમની જવાબદારી સંદર્ભે તેમના બાળકોની શિક્ષણલક્ષી માહિતી આપી હતી. તેમના બાળકોને શિસ્ત સબંધિત બાબતોની ચર્ચા પણ કરી હતી. આ ઉપરાંત વાલીઓએ પોતાના સરળ શબ્દોમાં વિવિધ ઉદાહરણ સહિત છણાવટ કરી બાળકોમાં મૂલ્યશિક્ષણ સંદર્ભે વાલીઓએ રાખવાની કાળજી બાબતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતું હતું. બાળકોમાં રહેલી કુટેવોને દૂર કરી શકાય તે તમામ બાબતોની ચર્ચા કરી હતી. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું સારું પરિણામ લાવવા માટે બાળકોએ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને એક વાલી તરીકે તેમણે શુ ભૂમિકા ભજવવાની છે એ બાબતોની પણ ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમના અંતે તમામ વાલીઓએ તેમના બાળકોના વર્ગશિક્ષકને મળી તેમના બાળકોના અભ્યાસ વિશેની માહિતી મેળવી. અને હકારાત્મક વાતાવરણમાં આ કાર્યક્રમ પૂર્ણ થયો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button