SABARKANTHA

આ કાર્ય ના લીધે આખા પરીવાર ના આંખમાં ખુશીના આંશુ છે અને વિરપ્રતાપ ફાઉન્ડેશને લોકો ના દિલ માં સ્થાન મળ્યું છે

 

વાત્સલ્યમ્ સમાચાર

તા. 13 માર્ચ 2023

રિપોર્ટર:- ઓમકુમાર મલેશિયા સાબરકાંઠા

 

વિરપ્રતાપ ફાઉન્ડેશન નું અદ્ભુત સન્માન હિંમતનગર તાલુકા ના રામપુર (રૂપાલ) ગામના વણકર_સમાજ ધ્વારા બે કીડની ફેલ 24_વર્ષ ના ભાવીક નું જીવન_બચાવવા અર્થે વિરપ્રતાપ ફાઉન્ડેશને એક મુહીમ ઊઠાવવામાં આવી હતી અને સફળતા મળી એ બદલ કરવામાં આવ્યુ,

 

૧૭ જુલાઈ ૨૦૨૨ ના રોજ વીરપ્રતાપ ફાઉન્ડેશન ધ્વારા પરિવાર તથા વણકર સમાજ ના આગેવાનો સાથે રુબરુ મુલાકાત કરી, માહીતી ની ખાતરી કરવામાં આવી હતી , ત્યારે જાણવા મળ્યું હતું કે જયંતિ ભાઈ વણકર ના દીકરા ભાવિક ની બન્ને કીડની ફેલ છે, જેનો કાયમી ઇલાજ નવી કીડની ટ્રાન્સપ્લાન્ટ થાય તો એનું જીવન બચી જાય જેનો ખર્ચ વધુ છે,

પરિવાર માં એના પીતા જયંતીભાઈ પશુપાલન પર ગુજરાન ચલાવે છે, હાલ તો કમાનાર એજ છે અને સઘળી જવાબદારી એમના શિરે છે એની મમ્મીને ડાયાબિટીસ છે દાદા ની ઉંમર વધારે છે, આવા પરિવાર ને #આર્થીક_મદદ કરવા ફાઉન્ડેશન ધ્વારા મુહીમ ચલાવવામાં આવી હતી

ભાવીક ના પીતાજી એ કીડની આપેલ અને સક્સેસ ઓપરેશન બાદ ભાવીક ફરીથી આપણી વચ્ચે આવ્યો છે,

નિશ્વાર્થ સેવા કરો કુદરત ફળ આપે છે ,

[wptube id="1252022"]
Back to top button