DANGWAGHAI

Dang: વઘઇનાં આશાનગર ખાતે નવનિર્મિત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇ આશાનગર ખાતે  નવનિર્મિત મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેના ભાગરૂપે  ભવ્ય શોભાયાત્રા તથા  મહાયજ્ઞ સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર એવા  વઘઇ ખાતે આવેલ આશાનગર વિસ્તારમાં નવનિર્મિત મંદિરમાં કાલિકામાતા,સપ્તશૃંગીમાતા,લક્ષ્મીમાતા તથા શિવલીંગ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવ નિમિત્તે બ્રહ્મણોના હસ્તે શાસ્ત્રોકત વિધિથી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો.તેમજ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.અને મહાપ્રસાદીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.શાંતિપૂર્ણ માહોલમાં અને ધામધૂમથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમમાં દેવાજીભાઈ મંગળભાઈ ગાંગુડે,શાન્તાબેન દેવાજીભાઈ ગાંગુડે,સતિષભાઈ ચૌહાણ,ભારતીબેન સતિષભાઈ ચૌહાણ તેમજ વઘઇ નગરના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button