GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના કોટડાસાંગાંણી, ધોરાજી અને વેરાવળ ખાતે “નો યોર પોલિંગ સ્ટેશન” અંતર્ગત મતદાતાઓને વિવિધ જાણકારી અપાઈ

તા.૨૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકશાહીના મહાયજ્ઞમાં તમામ મતદાતાઓ સહભાગી બને તે માટે વહીવટી તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં તા. ૨૮ એપ્રિલના રોજ ચૂંટણી પંચ દ્વારા “નો યોર પોલિંગ સ્ટેશન” પહેલ શરૂ કરવામાં આવી છે. જે અન્વયે રાજકોટના વિવિધ પોલિંગ સ્ટેશન ખાતે મતદાતાઓને પોતાના બુથ, મતદાર યાદીમાં ફોટા અને નામ સહિતની વિગતો જોવા મળી હતી.

રાજકોટના જિલ્લાના કોટડાસાંગાંણી, ધોરાજી અને વેરાવળ ખાતે વિવિધ વિસ્તારોમાં “ચુનાવ પાઠશાળા” અંતર્ગત મતદાન અને ચૂંટણી પ્રક્રિયા વિષે જાણકારી આપવામાં આવી હતી. કોટડાસાંગાણી તાલુકાની શ્રી ડી.કે. મહેતા તાલુકા શાળા, વેરાવળની શ્રી વેરાવળ કન્યા શાળા અને ધોરાજી તાલુકાની નાની મારડ ગામના પોલિંગ સ્ટેશનમાં ગ્રામજનોને વિવિધ માહિતી આપવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button