આજરોજ કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવા નો કેમ્પ તેમજ હોમીયોપેથી નો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી નેત્ર નિદાન કેમ્પ,ડો ભૂમિ વણપરિયા દ્વારા સાંધા, વા, નાં કોઈપણ દુખાવા માટે સારવાર નિ:શુલક રાખવામાં આવેલ જેમાં લોકો મોટી સંખ્યામાં લાભ લીધો હતો તથા ડો નિકિતા પટેલ દ્વારા હોમીયોપેથી ની દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી તેમજ હોમીયોપેથી સારવાર ની માહિતી આપી હતી જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબાર નાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માં અત્યાર સુધીમાં 311 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 22180 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જેથી લોકો ને લાખો રૂપિયાની રાહત થયેલ છે. જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. આજરોજ યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં ભોજન દાતા વૃજલાલ ભાલોડીયા, જીગર ભાલોડીયા જલારામ મંદિર નાં ટ્રસ્ટી રમેશભાઈ , દિનેશ કાનાબાર, રફીક મહીડા,ડો ભૂમિ વણપરીયા , ભીમભાઇ, સુરેશભાઈ, ભૂપેન્દ્ર જોશી ડો પરિતોષ પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ. આ નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 118 બે બસ દ્વારા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા. તેમજ ડૉ ભૂમિ વણપરિયા એ સાંધાના દુઃખાવા, સાયટિકા વગેરે ની સારવાર નિઃશુલ્ક આપી હતી. જીજ્ઞેશ સોઢા તથા અશ્વિન ભાઈ પટેલ દ્વારા દર્દીઓ નું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કેશોદ જલારામ મંદિર દ્વારા
જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે તેમજ દરરોજ સાંજનું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે ડો ભૂપેન્દ્ર જોશી ,ભગવતસિંહ તથા માધા ભાઈ બોરિયા દ્વારા દર્દીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










