ANANDANAND CITY / TALUKOGUJARAT

બુધેજ ખાતે ટી.બી.ના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું

બુધેજ ખાતે ટી.બી.ના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું

તાહિર મેમણ :આણંદ : 15/03/2024- આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ટી.બી.ના દર્દીઓને સારું પોષણ મળી રહે તે માટે વિવિધ ગામો ખાતે કેમ્પ કરી દાતાઓના સહયોગથી ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશન કીટ પુરી પાડવામાં આવી રહી છે. જે અંતર્ગત તારાપુર તાલુકાના શ્રી સ્વામિનારાયણ મંદિર, બુધેજ ખાતે નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલીમીનેશન પોગ્રામ અંતર્ગત “કોમ્યુનીટી સપોર્ટ ટુ ટી.બી. પેશન્ટ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તારાપુર તાલુકાના ટીબીના દર્દીઓને સારું પોષણ મળી રહે તે માટે ૪૮ ટી.બી.ના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ટી.બી. વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ટી.બી.ના દર્દીઓને નિ:ક્ષય પોષણ યોજના હેઠળ દર મહિને સારવાર ચાલુ હોય ત્યાં સુધી રૂ.૫૦૦ ની સહાય આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button