GUJARATSINORVADODARA

સાધલી ગામે આપના ચૈતર વસાવાની સ્વાભિમાન રેલી આવી પહોંચતા કાર્યકરો દ્વારા ચૈતર વસાવાનું સ્વાગત કરાયું

સાધલી ગામે આવેલ સ્વાભિમાન રેલી આવી પહોંચતા ચૈતર વસાવા.આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટલિયા દ્વારા સાધલી બસ સ્ટેન્ડ ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ મારા અર્પણ કરી ભારત માતાકી જય ના નારા લાગવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વાત કરીએ તો ભરૂચ લોકસભા સીટ પર ઇન્ડિયા ગઠબંધન દ્વારા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટિકિટ આપી છે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખ વસાવા ને રીપીટ કરવામાં આવતા ભરૂચ લોકસભા બેઠક પર કાંટે કી ટક્કર થાય એવું લાગી રહ્યું છે. જ્યારે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એક યુવાન નેતા હોય આદિવાસી સમાજનાં યુવાનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button