GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે સંત શ્રી રોહિદાસ જન્મજયંતિની થયેલ ભવ્ય ઉજવણી

તારીખ ૨૫/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

સંત શિરોમણી, માનવતાના પથ દર્શક,મીરાંબાઈ,ઝાલી રાણી, રાજા પીપા જેવા અનેક રાજા મહારાજાઓના ગુરૂ,દિવ્ય જ્ઞાની,મહાન દાર્શનિક,મહાન સમાજ સુધારક,મહાન કવિ અને મહાન સંગીતકાર, સમતા-સ્વતંત્રતા અને ભાઈચારાની ભાવનાને માનવ સમાજમાં પ્રસારિત કરી વિકસિત કરનાર,માનવતાના માર્ગદર્શક, શીખ ધર્મના ધર્મ પુસ્તક ગુરૂગ્રંથ સાહિબમાં જેઓના સૌથી વધુ ચાલીસ વાણીઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે તેવા પરમ જ્ઞાની,ગુરૂમુખી લીપીના નિર્માતા,મહાન દાર્શનિક ઓશો રજનીશે જેઓનું મહિમામંડન કરતા એમ કહેવું પડ્યું છે કે,સંતોથી ભરેલા આકાશમાં સંતોરૂપી હજારો તારાઓ ઝગમગી રહ્યા છે તેમાં સૌથી ચમકતો સર્વશ્રેષ્ઠ ધ્રુવનો તારો એ સંત ગુરૂ રવિદાસ જી છે. તેઓની જન્મ જયંતીની ઉજવણી કાલોલ શહેર સ્થિત નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે ફતેસિંહ ચૌહાણ ધારાસભ્ય કાલોલ ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સંત શ્રી રોહિદાસ અને ડોક્ટર આંબેડકર ની પ્રતિમાને માલ્યાર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી રોહીદાસ મહારાજનું લોકપ્રિય ભજન પ્રભુજી તુમ ચંદન હમ પાની ગાય સોવે ભક્તિમય માહોલમાં આનંદ અને ઉલ્લાસથી સંત શ્રી રવિદાસ મહારાજની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી હતી આ પ્રસંગે અનેક રોહીદાસ મહારાજના ઉપાસકો અને વિશાળ સંખ્યામાં માનવ મેદની વચ્ચે કાર્યક્રમને આરતી ઉતારી પૂર્ણ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પરસોતમભાઈ સોલંકી કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સફળ ફાઉન્ડેશનના સુનિલભાઈ મકવાણા નું સમતા ફાઉન્ડેશન તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button