મૂળીમાં રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂત મીટીંગ યોજાઈ હતી.
45 ગામના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તા.17/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
45 ગામના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ કરીને આવનાર લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની ભૂમિકા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી ભાજપ અન્ય પાર્ટીના નેતાઓને તોડવામાં લાગેલી છે વિપક્ની વાત સાંભળવાની બદલે વિપક્ષ ખતમ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે ખેડૂતો અને ગરીબોના કામમાં બિલકુલ રસ નથી.! નાના વર્ગના લોકો પીડાય છે.! હાલ મૂળી તાલુકામાં સિંચાના પાણી નો જે ભાજપ દ્વારા લોલીપોપ આપવામાં આવ્યો છે એનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો મૂળીના 25 તળાવો ભરવાની જાહેરાત થઈ જેમાં 20 તળાવ માત્ર પશુને પાણી પૂરું પાડી શકાય એટલા નાના છે જે ભરવાથી 20 ગામને કોઈ ફાયદો જ નથી માત્ર 2 તળાવ જ મોટા હોય માટે દરેક ગામની ચારે દિશાએ પહેલા તળાવ બનાવવામાં આવે અને જે તળાવો ઉપલબ્ધ છે ત્યાં એકથી વધુ તળાવ ભરવાની મંજૂરી આપવામાં આવે હાલ જે જાહેરાત થઈ છે એનાથી 5% ખેડૂતોને પણ જો ફાયદો થઈ શકે એમ હોય તો ભાજપના નેતાઓને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રિત કરીએ છીએ!મુખ્ય 3 માંગ સાથે સંઘર્ષ યથાવત રહેશે સિંચાઇનું પાણી, ખેડૂતોના દેવામાંફી અને MSP કાયદો.! ચૂંટણી સમયે કેમ ખેડૂત ની તાકાત બતાવી શકાય એ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને ચૂંટણી બાદ તુરંત જ હજારોની સંખ્યા માં ખેડૂતો આ ત્રણ માંગ સાથે દેખાવો કરશે એવું જણાવ્યું હતું.





