LUNAWADAMAHISAGAR

એકલવ્ય નિવાસી શાળા,દિવડા ખાતે શિક્ષણમંત્રી ના હસ્તે સમ્યક પ્રેરણાનો શુભારંભ કરાયો

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

શિક્ષણ મંત્રી દ્વારા મહીસાગર ,દાહોદ અને વડોદરા જિલ્લામાં સમ્યક પ્રેરણા શુભારંભ કાર્યક્રમ યોજાયો

એકલવ્ય નિવાસી શાળા,દિવડા ખાતે શિક્ષણમંત્રી  ડો કુબેર ભાઈ ડિંડોરના હસ્તે સમ્યક પ્રેરણાનો શુભારંભ કરાયો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની એકલવ્ય નિવાસી શાળા, દિવડા કોલોની ખાતે આદિજાતિ વિકાસ ,પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કેબિનેટ મંત્રી  ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં મહિસાગર, દાહોદ અને વડોદરા જીલ્લાની શાળાઓમાં “સમ્યક પ્રેરણા કાર્યક્રમનો” શુભારંભ કરાયો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે,સમ્યક પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત ગણિત અને વિજ્ઞાનમાં બાળકોને શ્રેષ્ઠ માર્ગદર્શન આપી સર્વાંગી વિકાસ કરી શકાશે ,બાળકોમાં રહેલ છુપાયેલ શક્તિ બહાર આવે તે જરૂરી છે તેમજ બાળકો પોતાની જાતે પ્રાથના ગીત ,સ્વાગત ગીત પોતે બોલીને રજૂ કરે જેથી તેમની કલામાં વધારો થાય .

વધુમાં મંત્રીએ જણાવ્યું હતુ કે સરકારની દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ દરેક શાળાઓમાં પૂરી પાડવામાં આવે છે અને શિક્ષક એ કર્મચારી નથી શિક્ષક એ રાષ્ટ્રનો નિર્માતા છે .

શિક્ષણમંત્રી  દ્વારા ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ શાળાઓમાં કડાણા તાલુકાની લીંભોલા પ્રાથમિક શાળાનો સમાવેશ થતાં શાળાના આચાર્ય અને શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button