NAVSARI
નવસારી:હોમગાર્ડઝ દળના ત્રણ જવાનોને પ્રજાસતાક દીને શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રીશ્રીનો ચંદ્રક એનાયત કરાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ના પ્રજાસત્તાક દિનના રોજ નવસારી જિલ્લા હોમગાર્ડ દળનાં નવસારી શહેર યુનીટના પ્લાટન કમાન્ડર શ્રી વિકાસ રામકૃષ્ણ પાટીલ તથા જલાલપોર યુનિટના સિનિયર પ્લાટુન કમાન્ડર શ્રી મુકેશ રતિલાલ પટેલ અને શ્રી ગણેશ તુકારામ પાટીલ ને હોમગાર્ડ દળમાં લાંબી ઉત્કૃષ્ટ પ્રશંસનીય સેવા બદલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો ચંદ્રક એનાયત કરવાનું ઠરાવેલ છે . તેમની ઉત્કૃષ્ટ કામગીરી ને ધ્યાન રાખીને નવસારી જિલ્લા હોમગાર્ડ દળ વતી જિલ્લા કમાન્ડન્ટ શ્રી એમ એન પટેલ દ્વારા પણ અભિવાદન પાઠવવામાં આવ્યા છે.
[wptube id="1252022"]



