જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજે લોઢીયા વાડી ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજશે
શહેરના વોર્ડ નં. ૮,૯,૧૦,૧૧,૧૨,૧૪ અને ૧૫માં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેક વિવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનો ના પ્રશ્નો ન્યાયિક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે “સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકા, જુનાગઢના સંયુકત ઉપક્રમે આજે સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી લોઢીયા વાડી ખાતે શહેરનાં વોર્ડ નં. ૮,૯,૧૦,૧૧,૧૨,૧૪ અને ૧૫ની જાહેર જનતા માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
જેમા રાજય સરકાર ધ્વારા પારદર્શક, સંવેદનશીલ, વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારની વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર ધ્વારા અનેક વિવિધ યોજનાઓ,સહાયો,જાહેર સેવાઓ આધારકાર્ડ નોંધણી,મા અમૃતમકાર્ડ નોંધણી, સખીમંડળ,જનધન યોજના,મામલતદાર કચેરી ધ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર,આવકના દાખલા,જાતીના દાખલા, ઉજજવલા યોજના,જુદી-જુદી બેંકો ધ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ,સ્વરોજગાર યોજના એસ.ટી વિભાગ ધ્વારા માસિક પાસ તથા ઓનલાઈન રીઝર્વેશન તેમજ ફરીયાદને લગતી સેવાઓના સ્ટોલ કાર્યરત કરવામાં આવશે અને વ્યક્તિલક્ષી રજૂઆત પણ ધ્યાને લઈ તેનો સ્થળ ઉપર જ પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે. તેમજ વિવિધ સહાય મેળવવા ઈચ્છતા લોકોએ પોતાના આધાર પુરાવા સાથે હાજર રહેવાનું રહેશે.
તેમજ આ કાર્યક્રમમાં વોર્ડ નં. ૮,૯,૧૦,૧૧,૧૨,૧૪ અને ૧૫ની રજૂઆત ધ્યાને લેવામાં આવશે.આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર દ્વારા વોર્ડ વિસ્તારના લોકોને અપીલ કરેલ છે.