MORBI :ના મંદરકિ ગામની પ્રમોલગેશન નોંધ બાબતે રિવિઝન અરજી નામંજૂર કરતા કલેકટર

મોરબીના મંદરકિ ગામની પ્રમોલગેશન નોંધ બાબતે રેવન્યુ હાયર અપીલીય ઓથોરિટીમાં રદ કરવા રીવીઝન અરજી દાખલ કરી હતી જે કેસના ગુણદોષ આધારે રિવિઝન અરજી નામંજૂર કરતો હુકમ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ છે

માળીયા (મી.)જુના ઘાટીલા ગામના હસમુખભાઈ મગનભાઈ પટેલ વિગેરેએ ભગવાનજીભાઈ અમરશીભાઈ હળવદિયા તેમજ ઉર્મિલાબેન શીવલાલભાઈ પટેલ સામે મોરબી જીલ્લા મહે. કલેક્ટર સાહેબ અપીલીય ઓથોરિટી સમક્ષ માળીયા મી. તાલુકાના મંદરકિ ગામના રે.સ.નં. ૧૮ અગેની પ્રમોલગેશન નોંધ નં.૨૧ અને ત્યારબાદ ઉતરોત્તર નોંધ રદ કરવા રીવીઝન અરજી નં.૫/૨૦૨૩ થી દાખલ કરતા તે રીવિઝનના કામે કાયદાકીય દલીલો,રજુઆતો ધ્યાને લઈને તેઓની સદરહું રીવિઝન અરજી સમયમર્યાદાના મુદે,કાર્યક્ષેત્રના મુદે તેમજ રેકર્ડકિય વિગતોને ધ્યાને લઈને કેસના ગુણદોષ આધારે રિવિઝન અરજી નામંજૂર કરતો હુકમ તા.૦૯/૧૦/૨૦૨૩ ના રોજ મહે. મોરબીના જિલ્લા કલેક્ટર સાહેબશ્રીએ કરેલ છે,સદરહું રિવિઝન અરજીના કામે સામાવાળા ભગવાનજીભાઈ અમરશીભાઈ હળવદિયા તેમજ ઉર્મિલાબેન શીવલાલભાઈ પટેલના વકિલ તરીકે મોરબીના ખ્યાતનામ રાજેશભાઈ જે. જોષી(૯૨૬૫૨૮૮૪૫૫) રોકાયેલા હતા.








