કેશોદ શહેર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો જે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા

પાંચ સુત્રોને સાર્થક કરતી અને સ્વસ્થ અને સંસ્કારિત ભારત માટે પ્રયત્નશીલ એવિ સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ કેશોદમાં અનેક પ્રવુતિ કરી રહી છે કેશોદ શહેરમાં વાટીકા ગાર્ડન રેસ્ટોરન્ટ,વ્રજવાડી વેરાવળ રોડ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજીત વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા તેમજ કરાટેબાજી ની અદભૂત કરતબો રજૂ કરવામાં આવી હતી ગત વર્ષ ના વિવિધ પ્રકલ્પો ના વિજેતાઓને પ્રોત્સાહિત કરવા હેતુ ક્રમાંક મુજબ ઇનામો નું વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં આમંત્રિત વાલીગણ સહિત વડીલો,મહાનુભાવો એ હાજરી આપી હતી. ભારત વિકાસ પરિષદ તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ : અનિરૂધ્ધ સિંહ બાબરીયા – કેશોદ









