BANASKANTHAPALANPUR

બિપરજોય વાવાઝોડા દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગ બનાસકાંઠા દ્વારા ૭૪૨ સગર્ભા મહિલાઓની સફળ ડીલેવરી કરાવાઈ

18 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

જિલ્લાની તમામ સરકારી સંસ્થાઓ ખાતે આવશ્યક દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ*(માહિતી બ્યુરો,પાલનપુર)——————— બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડા અન્વયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બનાસકાંઠાના સીધા સુપરવિઝન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પુરતા પ્રમાણમાં કાળજી લઈને વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને તા.૧૨/૬/૨૦૨૩ થી ૭ દિવસની અંદર ૧૧૭૯ સગર્ભા માતાઓની ડીલેવરી થવાની હતી. તેમાંથી આજદિન સુધી ૭૪૨ ડીલેવરી થયેલ છે. જે પૈકી ૧૩૭ ડીલેવરી ગ્રામ્ય કક્ષાએથી સ્થળાંતર કરીને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડ્રીસ્ટ્રીક્ટ હોસ્પિલટ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે થયેલ છે અને આ ડીલેવરીથી જન્મ લેનાર તમામ બાળ સ્વસ્થ છે અને આરોગ્યની ટીમ દ્વારા તેમનુ સતત ધ્યાન રાખીને કાળજી લેવામાં આવી રહી છે. ફિલ્ડ લેવલે પણ તમામ ગામોમાં હેલ્થ ટીમ ઈમરજન્સી દવાઓ સાથે હાજર છે અને શેલ્ટર હોમમાં રહેતા લોકોને જરૂરી સારવાર આપી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ઈમરજન્સ ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવેલ છે અને તમામ સરકારી સંસ્થાઓ ખાતે આવશ્યક દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે એમ એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button