JETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં ૨૭ જુલાઇએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

તા.૧૦/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજયના નાગરિકોના પ્રશ્નોના નિવારણ માટેનો રાજકોટ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ જુલાઇએ યોજાશે, જેમાં રજૂ કરવાના જિલ્લા કક્ષાના પ્રશ્નો ફરિયાદો તા.૦૧–૦૭-૨૦૨૩ થી તા. ૧૦-૦૭-૨૦૨૩ સુધીમાં સંબંધિત ખાતા–વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં જે તે વડાને પહોંચાડવાના રહેશે. અરજીમાં મથાળે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે. મહેસુલી તંત્રને રાજકોટ જિલ્લાને લગતાં પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તા. ૧૦-૦૭-૨૦૨૩ સુધીમાં રજુ કરવાનાં રહેશે. ત્યાર બાદ આવેલા પ્રશ્નોનો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી. જેની દરેક અરજદારોએ ખાસ નોંધ લેવી.

દર્શાવેલ ખાતાઓના પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તા. ૨૭-૦૭-૨૦૨૩ ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે કચેરીના ત્રીજા માળે સભાખંડમાં સંબંધિત ખાતાના અધિકારી અને કલેકટરશ્રી સાંભળશે. અન્ય ખાતાના પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાને જ મુદત હરોળ રજુ કરવા ખાસ નોંધ લેવી. તા.૧૦-૦૭-૨૦૨૩ બાદ આવેલ કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી, નામ સરનામાં વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરીક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. જેની અરજદારોએ ખાસ નોંધ લેવાની રહેશે. તેમ કલેકટર કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

[wptube id="1252022"]
Back to top button