
૧/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનને રાજકોટ જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બસ સ્ટેશન, જાહેર માર્ગો ઉપરાંત રોડની પાસેના વિસ્તારો, શાળાઓ વગેરે સ્થળો પર સઘન સ્વચ્છતા ચાલી રહી છે. ત્યારે નગર પીપળિયા, માખાવડ, ઘોલરા, કોટડા પીપળિયામાં જાહેર સ્થળો, શાળાઓમાં પર સઘન સફાઈ ગ્રામજનો, આગેવાનો દ્વારા થઇ રહી છે.

“મારું ગામ, સ્વચ્છ અને સુંદર ગામ” એવી નેમ સાથે ગ્રામીણ વિસ્તારના લોકો, ગામડામાં કચરાના ઢગ, નક્કામા ઝાડી-ઝાંખરા દૂર કરીને વિસ્તારો સુઘડ બનાવી સઘન સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. જેમાં બજારનો ખૂણેખૂણો સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. ગામોની પ્રાથમિક શાળામાં શિક્ષકો-સ્ટાફે મળીને શાળા આસપાસ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી હતી અને સમગ્ર વિસ્તારને એકદમ સ્વચ્છ બનાવ્યો હતો. આ વિવિધ વિસ્તારોમાં થયેલી સ્વચ્છતા ઝુંબેશમાં નાગરિકોનો પણ પૂરતો સહયોગ રહ્યો હતો.








