
તા.૧૭/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સઘન સ્વચ્છતામાં નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા
Rajkot: સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત વિંછીયા તાલુકાના ગામોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી.

આ અભિયાનમાં વિંછીયા તાલુકાના વિવિધ ગામોમાં જામેલા ગાર્બેજ પોઇન્ટ દૂર કરાયા હતા. તેમજ બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સફાઇ કરવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારોની શકલ બદલાઈ ગઈ હતી. સઘન સ્વચ્છતા અભિયાનમાં વિવિધ સરકારી કર્મચારીઓ ઉપરાંત નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

[wptube id="1252022"]








