GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના પિંગળી ગામે CISF અમદાવાદ ની ટીમ દ્વારા વીર શહીદ ને શ્રદ્ધાંજલી આપી.

તારીખ ૧૪/૦૮/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વીર શહીદ કીર્તનસિંહ પૃથ્વીસિંહ સોલંકી ને શ્રધાંજલિ અર્પણ કરવા માં અમદાવાદ થી સી.આઈ.એસ.એફ.ના ઇન્સ્પેક્ટર વી.સી.તાકશાંડે તથા અર્જુનસિંહ પરમાર સહિત ટીમ શહીદ ના વતને પહોચી હતી સાથે કાલોલ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. જે.ડી તરાલ સહિત કાલોલ પોલીસ સ્ટેશન ટીમ પણ ઉપસ્થિત રહી ગામના સરપંચ વિજયસિંહ સોલંકી,કવિ વિજય વણકર “પ્રીત”ગ્રામજનો, વડિલો સહ કીર્તનસિંહ ના માતા અને પરિવારના સભ્યો ને સાંત્વના આપી શહીદની તસ્વીર મૂકી સલામી આપી દીવા પ્રગટાવીને શ્રધાંજલિ અર્પણ કરી હતી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ધ્વજ વંદન કરી સલામી આપી રાષ્ટ્ર ગાન કરવામાં આવ્યુ હતુ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button