GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

રામ નવમી ના પર્વ ને લઈને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

તારીખ ૧૬/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં બુધવારના રોજ યોજાનાર રામ નવમી પર્વને અનુલક્ષી ને નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ ની અધ્યક્ષતામાં કાલોલ સીનીયર પીએસઆઇ સીબી બંરડા ની ઉપસ્થિતિ મા ગતરોજ મોડી સાંજે શાંતિ સમિતિ ની મીટીંગ યોજાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.આગામી તારીખ ૧૭ ના રોજ આવનાર રામ નવમી ના પર્વને અનુલક્ષી ને કાલોલ પોલીસ મથક ખાતે નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ ના અધ્યક્ષ સ્થાને કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ સીબી બંરડા ની ઉપસ્થિતિ મા શાંતિ સમિતી ની મીટીંગ યોજાઈ હતી.આ મીટીંગ મા રામનવમી પર્વ ની શાંતિપૂર્ણ માહોલમાં એકતા ભાઈચારા થી ઉજવણી થાય તેવી નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ તથા કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.બી.બંરડા એ ઉપસ્થિત નગર ના બંને સમાજના અગ્રણી આગેવાનો ને જણાવ્યુ હતુ.જ્યાં મીટીંગ મા ઉપસ્થિત બન્ને સમાજના આગેવાનોએ કાલોલ નગરમાં હિંદુ મુસ્લિમ તહેવારો એકતા અને ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે છે.અને આગામી રામનવમી પર્વ ની શાંતિપૂર્ણ માહોલમાં એકતાથી ઉજવણી થશે તેમ જણાવ્યુ હતુ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button