KALOL(Panchamahal)PANCHMAHAL

સ્વામિનારાયણ ઘોઘંબા-પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત બાઈક રેલી યોજાઇ

તારીખ ૩૦/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ પાલ્લી ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ઘોઘંબા-પાલ્લી ખાતે શિખરબંધ શ્રી સ્વામિનારાયણ મંદિર,શ્રી સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ મહોત્સવ તથા નવનિર્માણ મહોત્સવની ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ.શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત વિશ્વમંગલ, અંધશ્રદ્ધા નાબુદી, તથા વ્યસનમુક્તિ બાઈક રેલી પણ યોજાઈ.મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર ઓપનીંગ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિપરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ઉમળકાભેર કર્યું હતું. આ મહોત્સવના મુખ્ય યજમાન પ્રેમજીભાઇ શિવજીભાઈ વેકરીયા,નારાણપર પરિવાર હતા. આ મહોત્સવની આપનીંગ સેરેમની પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજે ફુગ્ગા ઉડાવી કરી હતી અને આતશબાજી કરવામાં આવી હતી. આવા અણમોલ અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button