GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ના પૂર્વ પ્રાથમિક શિક્ષણાધિકારી નો વિદાય તેમજ નવનિયુક્ત શિક્ષણાધિકારી નો સત્કાર સમારંભ યોજાયો..

તારીખ ૧૩/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા પંચાયત ખાતે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા આયોજીત કાલોલ તાલુકા ના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરેન્દ્રસિંહજી પરમાર નો વિદાય સમારંભ તેમજ તાલુકાનો શિક્ષણ નો હવાલો સંભાળી ને રેગ્યુલર ચાર્જ લેનાર ઘોઘંબા ના ટી.પી.ઈ.ઓ ચેતનાબેન પરમાર નો સત્કાર સમારંભ યોજાયો.જેમાં કાલોલ તાલુકા ના તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા,ભાજપ તાલુકા મહામંત્રી કિરણસિંહ,ભાજપ જીલ્લા અનુસૂચિત જાતિ મંત્રી અશોકભાઇ મેકવાન,પૂર્વ તાલુકા ઉપપ્રમુખ વિજયસિંહ રાઠોડ, મહાસંઘના અધ્યક્ષ વિનોદકુમાર અમીન,મંત્રી રમેશભાઈ પટેલ,સંઘઠન મંત્રી જનકસિંહ રાઠોડ,મહિલા ઉપાધ્યક્ષ હસુમતીબેન પટેલ તેમજ મહાસંઘ ના મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા.અધ્યક્ષ વિનોદકુમાર અમીન દ્વારા સર્વે નો પરિચય તેમજ પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરેન્દ્રસિંહજી ની ૧૧ માસ દરમિયાન કરેલ ઓફીસ ની કામગીરી ને બિરદાવી તેમને વિદાય આપેલ હતી તેમજ નવનિયુક્ત ચાર્જ લેનાર ચેતનાબેન પરમાર ને ખૂબ ઉલ્લાસ પૂર્વક આવકારવામાં આવેલ હતા.સાથે સાથે તાલુકા પ્રમુખનું મહાસંઘ ની મહિલા શક્તિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.કાલોલ તાલુકા ના શિક્ષકો ની વર્ષો થી બાકી રહેલ સર્વિસબુક ના અપડેશન ની કામગીરી વહેલી તકે પગારકેન્દ્ર વાર કેમ્પ યોજી ટૂંક સમયમાં પૂર્ણ કરવાની રજુઆત કરતા ચેતનાબેન પરમાર એ આ કામગીરી પૂર્ણ કરવાની ખાત્રી આપેલ હતી.

[wptube id="1252022"]
Back to top button