DEVBHOOMI DWARKAKALYANPUR

કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ને આવકારતા ગ્રામજનો

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જનસેવાનું મહત્વનું માધ્યમ બની રહી છે. કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ગ્રામજનોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો.

સરકારશ્રીની અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિધ્ધિઓ હાંસલ કરનાર વિધાર્થી, મહિલાઓ અને રમતવીરો સન્માનિત કરવામાં આવ્યા હતા

પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરતું ‘ધરતી કહે પુકાર કે’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button