કાલોલ તાલુકા ના દેલોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નુ ગ્રામ્યજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

તારીખ ૨૧/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ના વિકસિત ભારત ના સંકલ્પ માટે ની ભવ્ય યાત્રા આજે દેલોલ મુકામે પહોંચતાં જ્યાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોદી ની જનકલ્યાણ કારી યોજનાઓની જાણકારી આપી હતી અને છેવાડાના માનવી સુધી પહોંચાડવા ના દરેક ગ્રામ પંચાયત સુધી આ રથ પહોંચી રહ્યો છે અને મોદી ની ગેરંટી વાળી ગાડી મા લોકો પૂર્ણ વિશ્વાસ મૂકી ને ગરીબો તેમજ તમામ વર્ગ અને લાયકાત ધરાવતા તમામ લાભાર્થી ઓ ને પોતાના જ ગામ માં આવા લાભ મળી ને પોતાનું જીવન સુરક્ષિત બને તે માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા અને નોંધણી કરાવી ને લાભ મેળવી રહ્યા છે.તેમજ ૨૦૪૭ પહેલા ભારત ને સંપૂર્ણ વિકસિત બનાવવા ના મોદી જી ના સંકલ્પ મા સાથ આપી ને કામ કરવા નો સંકલ્પ તમામ ઉપસ્થિત લોકો એ લીધો. આ યાત્રા મા ગુજરાત પ્રદેશ ભાજપના સહ ઇન્ચાર્જ ડૉ યોગેશ પંડ્યા ની સાથે તાલુકા વિકાસ અધિકારી સંજયકુમાર ચૌહાણ તથા તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, ઉપપ્રમુખ ગુણવંતસિંહ, એપીએમસી ચેરમેન ધર્મેન્દ્રસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય રેખાબેન, કિસાન મોરચાના સંજયસિંહ અને અન્ય કાર્યકર્તાઓ તેમજ સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા અને મોદીજી ના આ ભગીરથ લોકસેવા ના કાર્ય ને સફળ બનાવવા અપીલ કરી હતી.










