JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૨૭ ડિસેમ્બરના ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૨૭ ડિસેમ્બરના ભરતી મેળો યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યુરન્સ કં. લી., સી.આઇ.ઇ. ઓટોમોટીવ લી. તથા કમ્ફર્ટ ક્રેઇન એન્ડ ફ્ફેબ્રીકેશન એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ સેલ્સ મેનેજર, મશીન ઓપરેટર, વેલ્ડર, ઇલેક્ટ્રીશીયન, વાયરમેન તથા હેલ્પરની જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ આઇ.ટી.આઇ / ડિપ્લોમા ટેકનીકલ ટ્રેડ તેમજ સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન સરદાર બાગ, જૂનાગઢ ખાતે તા. ૨૭/૧૨/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કરવામાં આવેલ છે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે  ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકવો.

[wptube id="1252022"]
Back to top button