
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ઃ જાહેરનામું બહાર પડાયું
નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પંચાયત (માર્ગ અને મકાન વિભાગ) પેટા વિભાગ વાંસદા હસ્તકના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી રોડ કિ.મી. ૫/૮ થી ૦/૬ ની ચેઇનેજમાં પુલ આવેલો છે. જે પુલ નબળો હોવાથી આ રસ્તા પરથી પસાર થતાં ભારે વાહનોને ડાયવરર્ઝન આપવો જરૂરી હોવાથી નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર અન્ય હુકમ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ સમય દરમિયાન વાહનોની અવરજવર માટે વૈકલ્પિક માર્ગ તરીકે કુરેલીયાથી ધરમપુરી જવા માટે કુરેલીયા-બારતાડ અને કુરેલીયા- ચીકારપાડા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ભીનાર થી ધરમપુરી જવા માટે ભીનાર બારતાડ રોડ અને બારતાડ-કેળકચ્છ ધરમપુરી માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ઉનાઇ થી ધરમપુરી જવા માટે ઉનાઇ-બારતાડ રોડ અને બારતાડ કેળકચ્છ ધરમપુરી માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ધરમપુરીથી વાંસદા જવા માટે ધરમપુરી-સરા રોડ અને મોટી ભમતી- સરા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.



