
મોરબીમાં સૌપ્રથમ રાધાકૃષ્ણ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

મોટાભાગના લોકો શ્રી કૃષ્ણ અને રાધાની પ્રેમ કહાની વિશે જાણે છે. આ બે નામો એકસાથે લેવામાં આવ્યા છે. ભક્તોના મુખે રાધા કૃષ્ણનું નામ એક સાથે આવે છે. શાસ્ત્રો અનુસાર રાધાના નામનો જાપ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ ઝડપથી પ્રસન્ન થાય છે. આજે રાધા અષ્ટમી છે. રાધાષ્ટમીનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તારીખે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબીના પરસોતમ ચોકમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરમાં આજે જન્મદિવસની ઉજવણી કેક કાપીને પુરજોસમાં કરવામાં આવી આ તકે આજુબાજુના સોસાયટીના સભ્યો મળી અનેરો આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો
[wptube id="1252022"]








