
વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી ના ભાગરૂપે આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત મોરબી અને તાલુકા હેલ્થ ઓફિસ ટંકારા ના સયુંકત ઉપક્રમે આઈ.ટી.આઈ. ટંકારા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ..

જેમાં આર.બી.એસ.કે. ડો.વિશાલ તેરૈયા દ્વારા વિધાર્થીઓને તમાકુના વ્યસનની શારીરિક અસરો, વ્યસનથી થતાં રોગો, અને તેની આડઅસરો વગેરે બાબતો પર માર્ગદર્શન આપેલ, ત્યારબાદ તાલુકા હેલ્થ સુપરવાઈઝર પટેલ હિતેષભાઈ દ્વારા વિધાર્થીઓને તમાકુના લીધે થતાં આર્થિક નુકશાન અને સમાજ પર પડતી ભયાનક અસરો ના મુદ્દા પર વિસ્તુત ચર્ચા કરેલ, અને દરેક વિધાર્થીઓ તથા સ્ટાફ ને વ્યસનમુક્તિ અંગેના શપથ લેવડાવેલ, ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસ ટંકારા દ્વારા અમરાપર રોડ પર આવેલું સૂર્યજીત ઇન્ડિયા વિનાયલ ફેક્ટરીના મજુરોને પણ તમાકુના વ્યસનની અસરો અંગે માર્ગદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમમાં આઈ.ટી.આઈ. ટંકારામાંથી તેના આચાર્ય સાહેબ એચ.જે.દવે, સુપરવાઈઝર દીપેશ દોશી તથા તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.









