
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૪.૧૦.૨૦૨૩
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે શરદીયા નવરાત્રીના અગાઉના દિવસે એટલે કે શનિવારના રોજ દોઢ લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.આદ્યશક્તિ આરાધનાનું પર્વ એટલે શરદીયા નવરાત્રી ને લઈને શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં આવનાર ભાવિક ભક્તો ની સુરક્ષા અર્થે પાવાગઢ તળેટી થી લઈને નિજ મંદિર ૭૦૦, ઉપરાંત પોલીસ ખડકી દેવામાં આવી છે.જેનાથી પાવાગઢ પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયલુ જોવા મળે છે.રવિવાર ના રોજથી આરંભ થતી શરદીયા નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના કરવા માટે અંદાજિત ૨૫ લાખ ઉપરાંત માઇભકતો પાવાગઢ ખાતે આવતા હોય છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોના ધસારાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ યાત્રિકોની સુરક્ષા તેમજ સલામતી ના ભાગરૂપે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંતર્ગત આશરે ૧ ડીવાયએસપી, ૬ પી.આઈ,૩૧ પી.એસ.આઇ,૪૦ પોલીસ જવાન મહિલા પોલીસ સહિત તેમજ એસ.આર.પી. ૫૦, તેમજ ૩૫૦ ઉપરાંત હોમગાર્ડ તેમજ જીઆરડી આમ કુલ મળી ૭૦૦ ઉપરાંત પોલીસ કર્મીઓ દ્વારા ૨૪ કલાક સુરક્ષા અર્થે તૈનાત કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.આ ઉપરાંત જે નોરતા ઓમાં રજાઓ આવતી હોય વધુ આ ઉપરાંત પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.આ ઉપરાંત એલ.સી.બી એસઓજી પેરોલ ફર્લો બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ દ્વારા રાઉન્ડ ઓકલોક બંદોબસ્ત માટે હોવાનું જાણવા મળે છે.આ ઉપરાંત તળેટીથી લઈ નીજ મંદિર સુધી ૭૦, ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.જેને લઇ યાત્રિકો પર સતત બાજ નજર રાખવામાં આવશે જેનું સતત મોનિટરિંગ તળેટી ખાતે આવેલ પોલીસ મથકના કંટ્રોલ રૂમમાંથી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવનાર છે.જ્યારે જિલ્લા સમાહર્તા ના જાહેરનામા ના પગલે ખાનગી વાહનોના પાવાગઢ પ્રવેશને લઈને પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હોય ભક્તોને તળેટી સુધી જે માંચી સુધી આવવા જવા માટે એસ.ટી. વિભાગ દ્વારા પચાસ ઉપરાંત એસટી બસો ૨૪ કલાક દરમિયાન ચલાવવામાં આવી રહી છે.જ્યારે ભાવિક ભક્તોની આરોગ્યલક્ષી સુવિધાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા પાવાગઢ તળેટી ખાતે તેમજ માંચી ખાતે તેમજ ડુંગરપુર આરોગ્યલક્ષી ઈમરજન્સી માટે તબીબો સહિત ની ટીમો ૨૪ કલાક કાર્યરત માં આવી રહી છે.











