
MORBI:મોરબી આયુર્વેદિક નિદાન & માર્ગદર્શન કેમ્પ યોજાશે

નિરામય સ્ટોર આયોજિત આયુર્વેદિક નિદાન અને માર્ગદર્શન કેમ્પમાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે. જેમાં રોગ નિદાન અને પ્રકૃતિ પરીક્ષણ કરી આપવામાં આવશે. જેમ કે ડાયાબિટીસ, બી.પી., એસિડિટી, કબજિયાત, ગેસ,ચામડીના રોગો, ખરતાં વાળ અને ખીલની સમસ્યા, સંધિવાત વગેરે વિશે નિદાન-ઉપચાર-માર્ગદર્શન આપવામાં આવશે. જે માટે અગાઉથી ફોન નંબર ૯૮૨૫૬૪૩૬૨૩ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ટોકન ફી રૂપિયા ૫૦/- રાખેલ છે. જે સ્થળ પર અથવા ઓનલાઈન ભરી શકાશે.
નોંધ: જરૂરી યોગ પ્રાણાયામ અંગે તજજ્ઞ શૈલેષ કાલરિયા અને વનસ્પતિના ઔષધિય ઉપયોગ વિશે વનસ્પતિ નિષ્ણાત ચંદ્રશેખર રંગપડિયા માર્ગદર્શન આપશે. નિરામય સ્ટોર તરફથી અલ્પાબેન કાલરિયા અને જયશ્રીબેન રંગપડિયાની યાદીમાં જણાવવામાં આવે છે.સ્થળ વૈદ્ય શ્રી કે.જે.ઝાલા તા.૧૭/૦૩/૨૦૨૪, રવિવાર સમય: સવારે ૮:૩૦થી ૧૨:૩૦ : ‘નિરામય સ્ટોર’, દુકાન નં. 104 કોહિનૂર શોપિંગ, સ્વાગત ચોકડી-મોરબી





