તા.૩/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા તા.૦૪ સપ્ટેમ્બર સોમવારના રોજ સવારે સાત વાગ્યે પ્લેટફોર્મ નં ૩, વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન સંખ્યા ૧૯૫૬૫/૧૯૫૬૬ ઓખા દેહરાદુન ઉતરાંચલ એકસપ્રેસના વાંકાનેર સ્ટેશન સ્ટોપેજનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં સાંસદશ્રી રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી સહિતના રેલ્વે સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
[wptube id="1252022"]








