Halvad:એનડીપીએસના ગુનામાં હળવદની બાબા રામદેવ હોટલના સંચાલકનો મોરબીની એનડીપીએસ સ્પે.કોર્ટ દ્વારા જામીન પર છુટકારો.

એનડીપીએસના ગુનામાં હળવદની બાબા રામદેવ હોટલના સંચાલકનો મોરબીની એનડીપીએસ સ્પે.કોર્ટ દ્વારા જામીન પર છુટકારો.
હળવદ પોલીસ સ્ટેશનમાં આ ગુના ની ફરીયાદ એવી કે આ કામના આરોપીએ પાસ ૫૨મીટ કે આધાર વગર માદક પદાર્થ પોશડોડાનો પાઉડર ૩ કીલો ૩૩૧ ગ્રામ કીમત રુપીયા ૯,૯૯૩/– નો જથ્થો વેચાણ કરવાના ઈરાદે પોતાની કબજા ભોષવટા વાળી બાબા રામદેવ હોટલમાં રાખી રેઈડ દરમીયાન મળી આવેલ છે. તથા આરોપીની અંગજળતી દરમ્યાન મોબાઈલ સાથે મળી આવતા આ આરોપીને હળવદ પોલીસે હાલના કામના આરોપીની અટક કરી મોરબી સ્પે.કોર્ટમાં રીમાંડ સાથે ૨જુ ક૨તા આરોપીને રીમાંડ મંજુર કરી બાદમાં જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય, જેથી આરોપીએ મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી શ્રી જીતેન અગેચાણીયા મા૨ફતે જામીન મેળવવા અરજી દાખલ કરેલ.
આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ કરેલ. આ આરોપી તરફે દલીલ ક૨વામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી. આરોપી હાલ મોરબી જીલ્લાના વતની છે. ક્યાય નાશીભાગી જાય તેમ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બૅલેન્સનું ધ્યાન રાખવું જોઈએ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ જીતેન અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને જામીન ૫૨ છોડવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મો૨બી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દલીપભાઈ અંગેચાયા, જીતેન અચાર્લીયા, જે 1 સોલંકી, એમ. આર. ગોલતર, હીતેશ પરમાર, ૨વી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.