નારણ ગોહિલ લાખણી
લાખણી તાલુકાના વાસણા ગામની ધરોહર પવિત્ર ભૂમિ પર બિરાજમાન રાજપૂતોની કુળદેવી શ્રી રાજ રાજેશ્વરી શ્રી હરસિદ્ધિ માતાજીનાં પાટોત્સવની ઉલ્લાસભેર ઊજવણી કરવામાં આવી વાસણા ગામે રાજપુત ક્ષત્રિય સમાજના 150થી વધુ ઘરનો પરિવાર ઍક બનીને માતાજીને રાજી કરવાં માટે દર વર્ષે માતાજીનાં પવિત્ર દીવસે ઍક મંડપ નીચે ભેગો મળીને માતાજીનો પાટોત્સવ ઉજવે છે કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં જ્યારે(સિયોડ) રાજપુત પરિવારના વડવાઓ વિવિદ્ય પ્રદેશોમાં સમય અંતરે સ્થળાંતર કરી અને સૌ પ્રથમ બનાસકાંઠાના રીયા ગામે રહેઠાણ કર્યું ત્યાંથી તેઓ પોતાની કુળદેવીને સાથે લઈને લવાણા ગામે આવીને વસ્યા થોડો સમય ત્યાં વિતાવી અને સમગ્ર પરિવાર સાથે વાસણા ગામનો માર્ગ પકડ્યો અને માતાજીની એક નાની દેરી બનાવી અને જ્યોત પ્રજલવિત કરી અને સમય જતા ઍક સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને વિક્રમ સંવત ૨૦૬૩ના મહા સુદ તેરસ ઇસ.૨૦૦૭નાં રોજ માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવી ત્યારથી દર વર્ષે સર્વે કુટુંબ સાથે મળીને માતાજીનો ધૂમધામથી પ્રસંગ ઉજવે છે અને આજે સવારે નિત્ય સમય પ્રમાણે માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો અને તમામ કુળની દીકરીઓને તેડાવી અને સાથે આવેલ માતાજીના તમામ ભાવી ભકતોને ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું અને કુટુંબના સૌ વડીલો અને યુવાન મિત્રો સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો










