
25 જાન્યુઆરી ,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
*જે સંગઠન માં રહી ને સેવા કરવાનું શિખ્યો એ સંગઠન સન્માનિત કરે તેનો આનંદ વિશેષ હોય છે : મનોજ ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે પાલનપુર ખાતે પરિષદના 75 વર્ષ ની ઉજવણી પ્રસંગે કાર્યકર્તાઓ, સ્થાયી કાર્યકર્તાઓ અને પરિષદમાં કામ કરતા પૂર્વ કાર્યકર્તાઓનું છાત્ર હુંકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75 વર્ષ ઉજવણી પ્રસંગે આજ સુધી કરવામાં આવતા વિવિધ કાર્યોની નોંધ લેવામાં આવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્થાપના કાલથી આજ સુધી રાષ્ટ્રહિત માટે કરવામાં આવતા વિવિધ કાર્યક્રમો દ્વારા આવનાર સમયમાં પણ ભારતને વિશ્વ ગુરુ બનાવવાના આશરેથી વિવિધ આયોજન થઈ રહ્યા છે ત્યારે આજરોજ છાત્ર હુંકાર કાર્યક્રમનું પાલનપુરમાં આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ સંગઠન મંત્રી અશ્વિની જી શર્માની વિશેષ ઉપસ્થિતિમાં અને પથમેડા ગૌશાળા ના મહંત મુકુંદ મહારાજની અધ્યક્ષતામાં સમાજ માટે વિવિધ ક્ષેત્રે કાર્યો કરતા પરિષદના પૂર્વ અને સ્થાયી સભ્યોને પણ બોલાવવામાં આવ્યા હતા પરિષદ દ્વારા પાલનપુરમાં છેલ્લા ઘણા સમયથી સેવાકીય ક્ષેત્રે ખૂબ જ કાર્યશીલ અને પ્રવૃત્તિ સીલ પરિષદના સ્થાયી સભ્ય મનોજ ઉપાધ્યાયને પણ વિશેષ સન્માનિત કરવામાં આવ્યા, મનોજ ઉપાધ્યાય દ્વારા કોરોના કાળમાં ભોજન યજ્ઞ ચલાવીને ૨૧ દિવસ સુધી રોજના આઠથી દસ હજાર લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું તથા થોડા સમય અગાઉ સગીર દીકરીને ન્યાય અપાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સક્રિય ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે મનોજ ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે સંગઠનમાં માથી જ કાર્ય કરવાનું શીખ્યો એ જ સંગઠન જ્યારે તમારા કાર્યને બિરદાવે છે ત્યારે વિશેષ આનંદ આવે છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય હિતમાં જે કાર્ય કરી રહ્યું છે એ બદલ પરિષદના સભ્યો હોવું ખૂબ જ ગૌરવ પણ અનુભૂતિ થાય છે આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા



