GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટમાં મહિલાના મૃત્યુ બાદ સિવિલ હોસ્પિટલની સ્કીન બેન્કમાં કરાયું ત્વચાદાન

તા.૮/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચા

Rajkot: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં કેડેવર દર્દીઓની ત્વચાનું દાન સ્વીકારાય છે. હાલમાં જ મૃત્યુ પામેલા એક મહિલાની ત્વચાનું દાન કરાયું છે.

સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર. એસ.ત્રિવેદીની યાદીમાં જણાવ્યા પ્રમાણે, વિલાસબેન નટવરલાલ શેઠ છઠ્ઠી ડિસેમ્બરના રોજ અવસાન પામ્યા હતા. સ્વજનના મૃત્યુના આઘાત વચ્ચે પણ પરિવારે અન્યોને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે અંગદાનનો નિર્ણય કર્યો હતો. આથી વિલાસબેનના પરિવારે પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આવેલી સ્કીન બેન્કનો સંપર્ક કર્યો હતો. આથી સ્કીન બેન્કની ટીમે મૃતકની સ્કીન હાર્વેસ્ટ કરીને સ્કીન ડોનેશનમાં મેળવી હતી.

મહત્વનું છે કે, આ સ્કીન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓ ઝડપથી રિવકર થશે. તથા આ સ્કીનનો ટ્રોમાના દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસિંગ માટે પણ ઉપયોગ કરી શકાશે. પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટના અધિક્ષક ડૉ. આર.એસ.ત્રિવેદી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા સુશ્રી મોનાલી માકડિયા સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.

[wptube id="1252022"]
Back to top button