
યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આંખો ના નિદાન માટે નો કેમ્પ યોજાયો…
વર્તમાન સમયમા સમગ્ર રાજ્ય માં કંજક્ટિવાઇટિસ (આંખો આવવા) ના કેશો માં ખુબજ વધારો થયો છે ત્યારે મોરબી માં સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મોરબીના નાના અને મજૂરિયાત વર્ગના વિસ્તારોમા લોકો ને આ વાઇરલ ઇન્ફેક્શન ની સારવાર વિનામૂલ્યે મળી રહે તે હેતુ થી આંખો ના નિદાન અને સારવાર માટે કેમ્પ યોજાયો હતો જેમાં આંખ ના જાણીતા સર્જન ડો. મેહુલ પનારા સાહેબ એ સેવા આપેલ હતી. આ કેમ્પ માં લગભગ ૩૪૮ જેટલા લોકો એ લાભ લીધેલ હતો. આ તકે યંગ ઇન્ડિયા ગ્રૂપ ના મેન્ટોર ડો. દેવેનભાઇ રબારી બાબતે જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા ગ્રૂપ કોઈપણ પરિસ્થિતિ માં લોકો ને સેવા કરવા હમેશા તત્પર છે.
[wptube id="1252022"]