
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ તેના મુખપત્ર સામનામાં ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના નિવેદનને ટાંકીને સામનામાં લખવામાં આવ્યું છે કે ભાજપ લોકસભાની ચૂંટણી સમય પહેલા એટલે કે ડિસેમ્બર મહિનામાં જ યોજાવાની તૈયારીઓ કરી રહી છે. આ માટે ખાનગી નાના વિમાનો, હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ થઈ ગયું છે. શિવસેનાએ કહ્યું છે કે જો ભાજપ ચંદ્રયાન-3 પર બેસીને પ્રચાર કરે તો પણ તે જીતવાની નથી.
સામનામાં લખવામાં આવ્યું છે કે એવું લાગે છે કે લોકસભાની ચૂંટણી સમય પહેલા એટલે કે ડિસેમ્બર મહિનામાં યોજાશે. આવો દાવો પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કર્યો છે. ચૂંટણી પ્રચાર માટે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં દેશભરમાં હેલિકોપ્ટરોનું બુકિંગ શરૂ થઈ ગયું છે. તેઓ જે ઈચ્છે તે કરવા દો, ભલે તેઓ ચંદ્રયાન-3 લાવે અને તેના પર અભિયાન ચલાવે, તો પણ તેમની સરમુખત્યારશાહીની હાર નિશ્ચિત છે. તેમની કુંડળીમાં પરાણે ઘુસાડવા આવેલા સત્તયોગની હવા નીકળી ગઈ છે.
તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે પ્રાઈવેટ, નાના એરક્રાફ્ટ, હેલિકોપ્ટર બુક કરાવીને તેઓ રાજકીય વિરોધીઓને મુશ્કેલીમાં મુકવા ઈચ્છે છે. વિરોધીઓને ચૂંટણી પ્રચાર માટે સાધનો ન મળે તે માટે સત્તાનો આ દુરુપયોગ અયોગ્ય છે.
વધુમાં લખ્યું છે કે ભાજપ અને તેના સમર્થકો પાસે અમર્યાદિત સંસાધન-સંપત્તિ છે. આ ધન કેવી રીતે આવે છે? લેખમાં લખવામાં આવ્યું છે કે ચંદ્રયાન-3 અભિયાનનો કુલ ખર્ચ 650 કરોડ રૂપિયા હતો, જ્યારે દિલ્હીના દ્વારકા એક્સપ્રેસ વેના ત્રણ કિલોમીટરના રસ્તાનો ખર્ચ 750 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં જો પાર્ટી ચૂંટણી પ્રચાર માટે દેશના તમામ પ્રાઈવેટ પ્લેન, હેલિકોપ્ટર બુક કરે એમાં નવાઈ શું?
સામનામાં એવું પણ લખવામાં આવ્યું છે કે બીજેપી સાંસદ ડી અરવિંદે કહ્યું છે કે ઈવીએમનું કોઈપણ બટન દબાવો, વોટ બીજેપીને જ જશે. મતલબ કે ભાજપે તમામ હેલિકોપ્ટર સાથે લાખો ઈવીએમ બુક કર્યા છે. તેના માટે પણ અલગ ખર્ચ અને ગણતરી હશે. શિવસેનાએ લખ્યું કે તમે ગમે તેટલુ બુકિંગ કરો, પણ ભ્રષ્ટ EVMની છાતી પર પગ મૂકીને સરમુખત્યારશાહી હાર થશે.
શિવસેનાના મુખપત્રમાં લખ્યું છે કે સરકારી જ્યોતિષીઓએ સલાહ આપી છે કે વર્તમાન લોકસભાનો કાર્યકાળ 2024માં પૂરો થાય તે પહેલા મોદી-શાહ 2023માં ચૂંટણી યોજશે. પરંતુ 2024 હોય કે 2023, ગમે ત્યારે ચૂંટણી કરાવો, સરમુખત્યારશાહી રૂપ હિરણ્યકશ્યપનો અંત નિશ્ચિત છે. તેઓ I.N.D.I.A. ગઠબંધનથી ડરી ગયા છે, જનતા જાગી ગઈ છે અને તે કોઈ જાળમાં ફસાવાની નથી.