GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મા લગ્નના વરઘોડામાં ખરાબ ચેનચાળા બાબતે ઠપકો આપનાર એક ઇસમ ઉપર છરા વડે હૂમલો.

તારીખ ૨૮/૦૫/૨૯૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ના માતા વાળા ફળિયામાં રહેતા કિરીટભાઈ ચંદુભાઈ રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદ જોતા રવિવારના રોજ તેઓના ફળિયામાં જશવંતભાઈના છોકરાનું લગ્ન નો વરઘોડો નીકળ્યો હતો આ વરઘોડામાં ખરાબ ચેનચાળા કરતા અજયભાઈ ચંદુભાઈ સોલંકી તેમજ કાર્તિક ઉર્ફે લાલો રમેશભાઈ સોલંકી અને પ્રદીપભાઈ ગણપતભાઈ સોલંકી તથા મયુરભાઈ ભગવાનભાઈ સોલંકી ને ફરિયાદી કિરીટભાઈ તેમજ તેઓના નાના ભાઈ હસમુખભાઈએ ઠપકો આપેલ અને આવા ખોટા ચાળા ના કરશો તેવું જણાવેલ. રાત્રિના સુમારે વરઘોડો પૂર્ણ થઈ ગયા બાદ હસમુખભાઈ ચંદુભાઈ રાઠોડ પોતાના ઘરેથી કુદરતી હાજર તે જવા માટે તરફ ગયા હતા અને ત્યારબાદ તેઓ લોહી લુહાણ હાલતમાં ઘરે આવ્યા હતા અને બેભાન થઈ ગયા હતા તેઓને તાત્કાલિક કાલોલ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ માનમાં આવતા તેઓએ જણાવેલ કે વરઘોડામાં આપેલા ઠપકાની અદાવત રાખીને ગોમમાં નદીના તરફ થી પરત ઘેર આવતા હતા ત્યારે ચારેવ ઈસમો તેઓ ને મળ્યા હતા અને ગંદી ગાળો બોલી, વરઘોડામાં તું અમને શું ઠપકો આપતો હતો તેમ કહી અજયે ગળું પકડી પાડ્યું હતું તેમજ કાર્તિક અને પ્રદીપ એ ગડદા પાટુ નો માર માર્યો હતો મયુરે પોતાના હાથમાં નો છરો બરડાના ભાગમાં મારી દેતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. ચારેવ ઈસમો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામા આવી હતી જે બાબતની ફરિયાદ કિરીટભાઈએ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button