JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

શ્રી કરશનપર પ્રાથમિક શાળાના શિક્ષકને ગુજરાત ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરાયા.

જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા સ્વામીનારાયણ વિશ્વમંગલમ્ યુનિવર્સિટી કલોલ ખાતે સંસ્થાના અગ્રણીઓ તથા શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીના સાનિધ્યમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને ગુજરાત ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવ પુરસ્કારમાં કરસન પર પ્રાથમિક શાળાના શિક્ષક ડો.ભાવેશકુમાર અનંતરાય મહેતાનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી તથા તખુભાઈ સાંડસુર શિક્ષણવિદ કેળવણીકાર, ભાવનગરના હસ્તે પુરસ્કાર અને ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button