
જામનગરમાં આઇસક્રીમમાંથી નીકળ્યો વંદો….ઓય 
૩ દિવસ “છાસવાલા”ને બંધ રાખવા નોટીસ લકી આમલેટને ૪ દિવસ
જાણીતા “છાશવાલા” બ્રાન્ડ ને ત્યા તપાસમાં અનેક તાકીદ-પણ અમલ થશે??
જામનગર (નયના દવે)
જામનગરમાં આઇસક્રીમમાંથી નીકળ્યો વંદો.. પછી શુ એન્જોય કરવા લાવનાર પરીવાતના મો મા થી સરી પડ્યુ ..ઓય માં
આ આઇસક્રીમ હતીજાણીતા “છાશવાલા” બ્રાન્ડ ની માટે તેમને ને ત્યા તપાસમાં અનેક તાકીદ કરાઇ છે -પણ અમલ થશે?? તેમ સવાલ છે
વિગત જાણીએ
જામનગર મહાનગરપાલિકાની ફૂડશાખા દ્વારા નગરની આવેલ ફરીયાદ ના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા ધનવંતરી ગ્રાઉન્ડ સામે આવેલ લકી આમલેટ નામની પેઢી ને ચીમની અને હાઇજેનીક કંડીશન મા જરૂરી સુધારા-વધારા કરવા તા.૨૨/૯/૨૦૨૩ થી ૪ દીવસ સુધી પેઢી બંધ કરાવેલ છે.તથા લેખિત સુચના અંગે ની નોટીશ આપવામાં આવેલ છે.
ઉપરાંત ગઈકાલ તા.૨૮/૯/૨૦૨૩ ના રોજ એક જાગૃત નાગરિક શ્રી જયેશભાઈ પ્રતાપભાઈ જોષી ની ટેલીફોનીક ફરીયાદ અન્વયે તેમજ આરોગ્ય અધિકારી શ્રી ની સુચના મુજબ જામનગર પટેલ કોલોની સામે શુભ એપાર્ટમેન્ટ મા આવેલ છાસવાલા (ફોર પોઈન્ટ એન્ટરપ્રાઇઝ LLP ) મા ફરીયાદી એ આઈસ્ક્રીમ ખરીદતા આઈસ્ક્રીમ મા જીવાત હોવાની જણાવતા જામનગર મહાનગર પાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરતાં ફ્રીજ ના અંદર ના ભાગમા એક મારેલ જીવાત મળી આવતા તેમજ અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ(લુઝ) નો નમુનો લઇ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવેલ તેમજ પેઢી મા કામ કરતાં તમામ કર્મચારી ના ના મેડીકલ ચેક અપ સર્ટીફિકેટ , પેસ્ટ કંટ્રોલ કરાવી તેમજ હાઇજેનીક કંડીશન મા જરૂરી સુધારા વધારા કરી દિવસ -૩ મા અત્રે ની કચેરી એ રિપોર્ટ કરવા તાકીદ કરવામાં આવેલ.આમ સદર પેઢી ને દિવસ -૩ માટે બંધ કરવામાં આવેલ છે.
@____________
BGB
gov.accre. Journalist
8758659878









