
તા.૧૭/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ, ડ્રોન નિદર્શન, સોઇલ હેલ્થ કાર્ડ નિદર્શન સહિતના કાર્યક્રમો યોજાયા
Rajkot, Dhoraji: કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે તે હેતુસર આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકાનાં મોટી મારડ ગામે પહોંચી હતી, જ્યાં ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક થકી આ રથને વધાવ્યો હતો.

આ તકે આરોગ્ય વિભાગ દ્વારા ૯૮૦ જેટલા ગ્રામજનોનું નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. ગામની ૦૫ શ્રેષ્ઠતમ હિમોગ્લોબીન ધરાવતી સશકત કિશોરી/ મહીલાઓ, ૧૦ તેજસ્વી વિદ્યાર્થી, ૦૫ સ્થાનિક કલા કારીગર, ૦૨ રમતવીરને મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, સોઈલ હેલ્થ કાર્ડ, આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડ્રોનથી દવા છંટકાવની નવી ટેકનોલોજીથી ખેડુતોને માહિતગાર કરાયા હતા. “ધરતી કહે પુકાર” કૃતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

“મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત ૦૬ જેટલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ઓડીએફ પ્લસ એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રામજનો પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા યથાયોગ્ય યોગદાન આપવા સંકલ્પબધ્ધ થયા હતા.
આ કાર્યક્રમમાં ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રવિભાઈ વડાલીયા, સરપંચ શ્રીમતી શર્મિલાબેન ચાવડા, ઉપસરપંચ શ્રી જગદીશભાઈ, અગ્રણીશ્રીઓ શ્રી વિરલભાઈ પનારા, શ્રી ભરતભાઈ મેર, શ્રી ભાવેશભાઈ હુંબલ, શ્રી રાજુભાઈ પિઠીયા, શ્રી નીતિનભાઈ કણસાગરા, શ્રી સ્મિતભાઈ લાલકીયા, શ્રી હરદીપસિંહ રાયજાદા સહિત તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.સી સરતેજા, વિસ્તરણ અધિકારીશ્રીઓ શ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા, શ્રી જે.જે.જાડેજા, મહેસુલ વિભાગ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, તલાટી મંત્રીશ્રીઓ, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








