
One Nation One Election એટલે કે એક દેશ, એક ચૂંટણી માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી અને પોતાનો રિપોર્ટ સોપ્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં હતા. રામનાથ કોવિંદ પેનલનો આ રિપોર્ટ કુલ 18,626 પાનાનો છે.રિપોર્ટમાં 2029માં એક સાથે ચૂંટણી કરાવવાી ભલામણ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું કે હાઇ લેવલ કમિટીએ હિતધારકો, જાણકારો અને વ્યાપર ચર્ચા કરી 191 દિવસ સુધી સતત કામ કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.
ગત સપ્ટેમ્બરમાં રચાયેલી સમિતિને વર્તમાન બંધારણીય માળખાને ધ્યાનમાં રાખીને લોકસભા, રાજ્યની વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની એકસાથે ચૂંટણી યોજવા માટે શક્યતાઓ શોધવા અને ભલામણો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભામાં વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, નાણા પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એન.કે. સિંહ, લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ અને વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેનો પણ સમાવેશ થાય છે.
શરૂઆતમાં દર દસ વર્ષે બે ચૂંટણીઓ યોજાતી હતી. હવે દર વર્ષે અનેક ચૂંટણીઓ યોજાઈ રહી છે. આનાથી સરકાર, વ્યવસાયો, કામદારો, અદાલતો, રાજકીય પક્ષો, ચૂંટણીના ઉમેદવારો અને નાગરિક સમાજ પર મોટો બોજ પડે છે.
સમિતિ ભલામણ કરે છે કે સરકારે એકસાથે ચૂંટણીના ચક્રને પુનઃસ્થાપિત કરવા માટે કાયદાકીય રીતે સક્ષમ પદ્ધતિ વિકસાવવી જોઈએ.
પ્રથમ તબક્કામાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે થવી જોઈએ. બીજા તબક્કામાં, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ સાથે સંકલન કરવામાં આવશે.
આ રીતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના 100 દિવસની અંદર નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી કરાવવામાં આવી શકે છે.
લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓને એક સાથે કરાવવાના ઉદ્દેશ્યથી સમિતિ ભલામણ કરે છે કે ભારતના રાષ્ટ્રપતિ સભા બાદ લોકસભાની પ્રથમ બેઠકની તારીખનું નોટિફિકેશન જાહેર કરી શકે છે.ચૂંટણી પંચ આ આર્ટિકલની જોગવાઇને લાગુ કરે અને નોટિફિકેશનની તે તારીખને નિયુક્ત તારીખ કહેવાશે.
કમિટી ચૂંટણી કરાવવા માટે આર્ટિકલ 324એ લાગુ કરવાની ભલામણ કરે છે.
કમિટીની ભલામણ છે કે ત્રિશંકુ સદન, અવિશ્વાસ પ્રસ્તાવ અથવા આવી કોઇ ઘટનાની સ્થિતિમાં નવા સદનની રચના માટે નવેસરથી ચૂંટણી કરાવી શકે છે.
જ્યા લોકસભા માટે નવી ચૂંટણી યોજાય છે, લોકસભાનો કાર્યકાળ, લોકસભાનો પૂર્ણ કાર્યકાળ પહેલા થોડા સમય માટે જ હશે અને આ સમયની સમાપ્તિ વિઘટનના રૂપમાં કામ કરશે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સહમત થશે તો તેને 2029થી જ લાગુ કરવામાં આવશે.આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ જૂન 2029 સુધી 6 મહિના લંબાવવો જોઈએ. ત્યારપછી તમામ રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, આ રિપોર્ટ 2 સપ્ટેમ્બર, 2023ના રોજ પેનલની રચના થઈ ત્યારથી લઈને હિતધારકો અને નિષ્ણાતોની સલાહ અને 191 દિવસના સંશોધનનું પરિણામ છે. ગત વર્ષે 2 સપ્ટેમ્બરે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં 8 સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. વન નેશન વન ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હીમાં જોધપુર ઓફિસર્સ હોસ્ટેલમાં યોજાઈ હતી. તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ સહિત 8 સભ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને સમિતિના વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા છે.










