GUJARATRAJKOTVINCHCHHIYA

RAJKOT: વિંછીયાના હાથસણી ગામે સુવિધા પથ સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૩૦/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સરકાર દ્વારા વિંછીયા તાલુકાના દરેક ગામને આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવી વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવી રહ્યા છે, મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા

Rajkot: વિંછીયા તાલુકાના હાથસણી ગામે પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સુવિધા પથ સી. સી. રોડનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૬૭૫ મી. લંબાઈ અને ૫.૫૦ મીટર પહોળાઇનો ફુલઝર-હાથસણી અને સીમ શાળા -૨ સુધી અંદાજીત ૬૦ લાખના ખર્ચે સી. સી. રોડ નિર્માણ કરવામાં આવશે. વિસ્તારની સ્થિતિ મુજબ રોડ ગુણવત્તાયુક્ત બને તે માટે તેની જાડાઇ પણ વધુ રાખવામાં આવશે.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આંતરમાળખાકીય સુવિધા દેશના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રાથમિક સુવિધાઓનું નિર્માણકાર્ય દેશના ગામે ગામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

વિછીયા તાલુકામાં તમામ માળખાકીય સુવિધા જેવી કે, શિક્ષણ, પાણી, રસ્તાની સુવિધા ઉભી કરીને રાજય સરકાર આ પંથકને વિકાસની મુખ્ય ધારા સાથે જોડી રહી છે ત્યારે આગામી સમયમાં પણ અનેક વિકાસકાર્યો થકી આ પંથકને આંતરમાળખાકીય સુવિધાઓ વધુને વધુ પ્રાપ્ત કરાવવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

આ તકે વિંછીયા તાલુકાના અગ્રણી શ્રી અશ્વિનભાઈ સાકરીયા, વલ્લભભાઈ, દેવરાજભાઈ, ખોડાભાઈ તથા બહોળી સંખ્યામાં હાથસણીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button