BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકાના સરસાડ તથા કાકલપોર ગામમાં ચુનાવ પાઠશાળા મતદાર જાગૃતિ અભિયાન યોજાયું

ઝઘડિયા તાલુકાના સરસાડ તથા કાકલપોર ગામમાં ચુનાવ પાઠશાળા મતદાર જાગૃતિ અભિયાન યોજાયું

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે. ઝઘડિયા તાલુકાના સરસાડ તથા કાકલપોર ગામના સરપંચની ઉપસ્થિતિમાં ચુનાવ પાઠશાળા અંતર્ગત આશાવર્કરો, આંગણવાડીના કાર્યકરો, બિન રાજકીય સભ્યો અને નવા મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સાતમી મેના રોજ અવશ્ય મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા અને મતદાનના મહત્વ અંગે સમજણ આગામી લોકસભા- ૨૦૨૪માં મતદાન વધારવા અપીલ કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button