GUJARATSAYLA

Sayla:સાયલાનાં ચિત્રાલાખ ગામે બાળ ગંગા હનુમાનજી ના આશ્રમ ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું.

સાયલાનાં ચિત્રાલાખ ગામે બાળ ગંગા હનુમાનજી ના આશ્રમ ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર નાં સાયલા તાલુકાના ચિત્રાલાખ ગામ સમસ્ત બાળગંગા હનુમાનજી ની જગ્યાએ આશ્રમે પ.પૂજ્ય મહંત શ્રી.૧૦૦૮ હરિદાસ બાપુ દેવલોક થયા હતા. તેના અનુસંધાને આજ રોજ તેમનો ભંડારો કરવામાં આવ્યો અને સાધુ સંતો મહંતો ના રિવાજ પ્રમાણે આજ રોજ તે જગ્યાના સ્થળે સાધુ સંતોના સામૈયા તેમજ સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું અને એક ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા પૂજારી શ્રી પ્રકાશદાસ દેસાણી ને ચાદર ઓઢાડી તિલક વિધિ કરી અને મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાઓમાંથી પણ ભક્તજનો માનવ મેરામણ ઊંમટોયો હતો.જેમા સાથે સાથે આજે રાત્રે સંતવાણી નો પણ કાર્યક્રમ રાખેલ છે. જેમાં ભજન સમ્રાટ દલસુખભાઈ પ્રજાપતિ, સાહિત્યકાર પ્રફુલભાઈ જોશી, ભજનીક સમ્રાટ પિયુષભાઈ મિસ્ત્રી, જેવા નામી અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવશે.આ આયોજન અંગે ચિત્રાલાખ ગ્રામજનો, સાધુ સંતો તેમજ આજુબાજુ ગામના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button