
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૪ માં લેવાયેલી ધો.૧૨ સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે અસાલડીના વતની મહેસાણા ખાતે લક્કી પાર્કમાં છેલ્લા લગભગ ૨૪ વર્ષથી ધંધાર્થે સ્થાઈ થયેલ પ્રજાપતિ રમેશભાઈ વિરચંદભાઈ ની સુપુત્રી અને શ્રી એસ.વી.શાહ વિદ્યા વિહાર મહેસાણામાં અભ્યાસ કરતી કુ.વિશ્વા પ્રજાપતિએ બોર્ડમાં ૬૫૦ માંથી ૬૦૨ ગુણ સાથે ૯૨.૬૨ ટકા તથા ગુજકેટમાં ૧૨૦ માંથી ૧૧૭.૫ ગુણ સાથે ૯૯.૯૦ પી.આર. અને એ-૧ ગ્રેડ મેળવવાની સાથે ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી શ્રી એસ.વી.શાહ વિધ્ધા વિહાર- મહેસાણા/ પ્રજાપતિ સમાજ તથા અસાલડીગામ નું ગૌરવ વધારેલ છે.તેબદલ શુભેચ્છકો દ્વારા અઢળક શુભેચ્છાઓ આપી વિશ્વા પ્રજાપતિ જીવનમાં ખુબ ખુબ પ્રગતિના શોપન કરી આગળ વધે તેવી હાર્દિક શુભેચ્છાઓ વર્ષાવી રહ્યા છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]



