બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા નર્મદા મુખ્ય નહેરમાંથી મશીન મુકીને પાણી ખેંચવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું

1 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
નાયબ કાર્યપાલક ઈજેનરશ્રી , જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ , થરાદના પત્ર અન્વયે સબડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી , થરાદની દરખાસ્તની વિગતે નર્મદા મુખ્ય નહેર તા ૦૧.૦૫.૨૩ થી તા ૧૫.૦૫.૨૩ સુધી મરામત અને નિભાવણી અર્થે બંધ કરવામાં આવનાર છે . આથી મુખ્ય નહેરો પરના સોર્સ આધારીત જુથ પાણી પુરવઠા યોજનાના ગામોમાં પીવાનો પાણી પુરવઠો નિયમિત પુરો પાડવા તકલીફ ઉભી થવાની શક્યતા રહે છે . આથી બનાસકાંઠા જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ આવતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલનું પાણી ફક્ત પીવાના ઉપયોગમાં લેવામાં આવનાર છે . તથા અમુક યોજનાઓમાં સોર્સ તરીકે નર્મદા ની કેનાલ મારફતે તળાવ ભરીને ઉપયોગમાં લેવામાં આવે છે.બનાસકાંઠા જિલ્લાના થરાદ , વાવ , સુઇગામ , લાખણી અને ધાનેરા તાલુકાના ૨૭૯ ગામો તથા ૨ શહેરો ( થરાદ , ધાનેરા ) નો સમાવેશ પીવાના પાણી માટે નર્મદા મુખ્ય નહેર આધારીત પાણી પુરવઠા યોજનામાં કરવામાં આવેલ છે . ખેડુતો દ્વારા મુખ્ય કેનાલ ઉપર મશીન મુકી અમુક કિસ્સામાં પિયત માટે પાણી ગેરયદેસર રીતે ઉપાડવામાં આવે છે . આમ જો સ્ટોક ક૨વામાં આવેલ પીવાના પાણીના જથ્થામાંથી પાણી ખેંચવામાં આવે તો થરાદ , વાવ , સુઇગામ , લાખણી અને ધાનેરા તાલુકાઓમાં પીવાના પાણીની વધુ મુશ્કેલીઓ ઉભી થવાની શકયતાઓ જણાતાં શ્રી વરૂણકુમાર બરનવાલ ( આઈ.એ.એસ ) , જિલ્લા મેજીસ્ટ્રેટ , બનાસકાંઠા પાલનપુર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ -૩૩ ( ૧ ) ( એમ ) અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લાના થરાદ , વાવ , સુઇગામ , લાખણી અને ધાનેરા તાલુકાઓમાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાંથી ખેડુતો ધ્વારા પોતાના મશીન મુકીને પાણી નહી ઉપાડવા ફરમાન કરવામાં આવ્યું છે. સદરહું પ્રતિબંધ તા . ૦૧/૦૫/૨૦૨૩ થી તા . ૧૫/૦૫/૨૦૨૩ ( બંને દિવસ સહિત ) સુધી અમલમાં રહેશે . આ હુકમ અન્વેય બનાસકાંઠા જિલ્લામાં ફ૨જ બજવતા અધિક્ષક ઈજનેરશ્રી , જાહેર આરોગ્ય વર્તુળથી લઈ જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગમાં વર્ગ –૩ નો હોદ્દો ધરાવનાર કર્મચારી , પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી / કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ મુજબ ફરિયાદ માંડવા આથી અધિકૃત કરવામાં આવે છે . આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે .



